અધ્યાય 07 દોહા
રહીમ (૧૫૫૬-૧૬૨૬)
રહીમનો જન્મ લાહોર (હવે પાકિસ્તાન)માં સન્ ૧૫૫૬માં થયો. તેમનું પૂરું નામ અબ્દુર્રહીમ ખાનખાના હતું. રહીમ અરબી, ફારસી, સંસ્કૃત અને હિંદીના સારા જાણકાર હતા. તેમની નીતિપરક ઉક્તિઓ પર સંસ્કૃત કવિઓની સ્પષ્ટ છાપ પરિલક્ષિત થાય છે. રહીમ મધ્યયુગીન દરબારી સંસ્કૃતિના પ્રતિનિધિ કવિ માનવામાં આવે છે. અકબરના દરબારમાં હિંદી કવિઓમાં તેમનું મહત્ત્વપૂર્ણ સ્થાન હતું. રહીમ અકબરના નવરત્નોમાંના એક હતા.
રહીમના કાવ્યનો મુખ્ય વિષય શૃંગાર, નીતિ અને ભક્તિ છે. રહીમ ખૂબ લોકપ્રિય કવિ હતા. તેમના દોહા સર્વસાધારણને સરળતાથી યાદ થઈ જાય છે. તેમના નીતિપરક દોહા વધુ પ્રચલિત છે, જેમાં દૈનિક જીવનના દૃષ્ટાંતો આપીને કવિએ તેમને સહજ, સરળ અને બોધગમ્ય બનાવી દીધા છે. રહીમને અવધી અને બ્રજ બંને ભાષાઓ પર સમાન અધિકાર હતો. તેમણે તેમના કાવ્યમાં પ્રભાવપૂર્ણ ભાષાનો ઉપયોગ કર્યો છે.
રહીમની પ્રમુખ કૃતિઓ છે : રહીમ સતસઈ, શૃંગાર સતસઈ, મદનાષ્ટક, રાસ પંચાધ્યાયી, રહીમ રત્નાવલી, બરવૈ, ભાષિક ભેદવર્ણન. આ બધી કૃતિઓ ‘રહીમ ગ્રંથાવલી’માં સમાહિત છે.
પ્રસ્તુત પાઠમાં રહીમના નીતિપરક દોહા આપવામાં આવ્યા છે. આ દોહા જ્યાં એક તરફ વાચકને બીજાઓ સાથે કેવો વર્તાવ કરવો જોઈએ, તેની શિક્ષા આપે છે, ત્યાં માનવ માત્રને કરણીય અને અકરણીય આચરણની પણ નસીહત આપે છે. તેમને એક વાર વાંચી લીધા પછી ભૂલવું શક્ય નથી અને તે પરિસ્થિતિઓનો સામનો થતાં જ તેમનું યાદ આવવું લાજિમી છે, જેનું તેમાં ચિત્રણ છે.
દોહા
રહિમન ધાગા પ્રેમ કો, મત તોડો ચટકાય.
ટૂટે સે ફિર ના મિલે, મિલે ગાંઠ પરિ જાય.।
રહિમન નિજ મન કી બિથા, મન હી રાખો ગોય.
સુનિ અઠિલૈહૈં લોગ સબ, બાંટિ ન લૈહૈં કોય.।
એકૈ સાધે સબ સધૈ, સબ સાધે સબ જાય.
રહિમન મૂલહિં સીંચિબો, ફૂલૈ ફલૈ અઘાય.।
ચિત્રકૂટ મેં રમિ રહે, રહિમન અવધ-નરેસ.
જા પર બિપદા પડત હૈ, સો આવત યહ દેસ.।
દીરઘ દોહા અરથ કે, આખર થોરે આહિં.
જ્યોં રહીમ નટ કુંડલી, સિમિટિ કૂદિ ચઢિ જાહિં.।
ધનિ રહીમ જલ પંક કો લઘુ જિય પિઅત અઘાય.
ઉદધિ બડાઈ કૌન હૈ, જગત પિઆસો જાય.।
નાદ રીઝિ તન દેત મૃગ, નર ધન હેત સમેત.
તે રહીમ પશુ સે અધિક, રીઝેહુ કછૂ ન દેત.।
બિગરી બાત બનૈ નહિં, લાખ કરૌ કિન કોય.
રહિમન ફાટે દૂધ કો, મથે ન માખન હોય.।
રહિમન દેખિ બડેન કો, લઘુ ન દીજિયે ડારિ.
જહાં કામ આવે સુઈ, કહા કરે તરવારિ.।
રહિમન નિજ સંપતિ બિના, કોઉ ન બિપતિ સહાય.
બિનુ પાની જ્યોં જલજ કો, નહિં રવિ સકે બચાય.।
રહિમન પાની રાખિએ, બિનુ પાની સબ સૂન.
પાની ગએ ન ઊંબરૈ, મોતી, માનુષ, ચૂન.।
પ્રશ્ન-અભ્યાસ
1. નીચેના પ્રશ્નોના જવાબ આપો-
(ક) પ્રેમનો ધાગો તૂટ્યા પછી પહેલાંની જેમ કેમ નથી બની શકતો?
(ખ) આપણે આપણું દુઃખ બીજાઓ પર કેમ પ્રગટ ન કરવું જોઈએ? આપણા મનની વ્યથા બીજાઓને કહેવાથી તેમનો વ્યવહાર કેવો થઈ જાય છે?
(ગ) રહીમે સાગરની અપેક્ષા પંક જલને ધન્ય કેમ કહ્યું છે?
(ઘ) એકને સાધવાથી બધું કેમ સધાઈ જાય છે?
(ઙ) જલહીન કમળની રક્ષા સૂર્ય પણ કેમ નથી કરી શકતો?
(ચ) અવધ નરેશને ચિત્રકૂટ કેમ જવું પડ્યું?
(છ) ‘નટ’ કળામાં સિદ્ધ હોવાને કારણે ઉપર ચઢી જાય છે?
(જ) ‘મોતી, માનુષ, ચૂન’ના સંદર્ભમાં પાણીના મહત્ત્વને સ્પષ્ટ કરો.
2. નીચેનાનો ભાવ સ્પષ્ટ કરો-
(ક) ટૂટે સે ફિર ના મિલે, મિલે ગાંઠ પરિ જાય.
(ખ) સુનિ અઠિલૈહૈં લોગ સબ, બાંટિ ન લૈહૈં કોય.
(ગ) રહિમન મૂલહિં સીંચિબો, ફૂલૈ ફલૈ અઘાય.
(ઘ) દીરઘ દોહા અરથ કે, આખર થોરે આહિં.
(ઙ) નાદ રીઝિ તન દેત મૃગ, નર ધન હેત સમેત.
(ચ) જહાં કામ આવે સુઈ, કહા કરે તરવારિ.
(છ) પાની ગએ ન ઊંબરૈ, મોતી, માનુષ, ચૂન.
3. નીચેના ભાવને પાઠમાં કઈ પંક્તિઓ દ્વારા અભિવ્યક્ત કરવામાં આવ્યો છે
(ક) જે પર વિપદા પડે છે તે જ આ દેશમાં આવે છે.
(ખ) કોઈ લાખ કોશિશ કરે પણ બગડી બાત ફરી બની શકતી નથી.
(ગ) પાણી વિના બધું સૂનું છે તેથી પાણી અવશ્ય રાખવું જોઈએ.
4.ઉદાહરણના આધારે પાઠમાં આવેલા નીચેના શબ્દોના પ્રચલિત રૂપ લખો -
ઉદાહરણ: કોય - કોઈ, $\qquad$ જે - જો
જ્યોં $\qquad$………. કછુ $\qquad$……….
નહિં $\qquad$………. કોય $\qquad$……….
ધનિ $\qquad$………. આખર $\qquad$……….
જિય $\qquad$………. થોરે $\qquad$……….
હોય $\qquad$………. માખન $\qquad$……….
તરવારિ $\qquad$………. સીંચિબો $\qquad$………
મૂલહિં $\qquad$………. પિઅત $\qquad$……….
પિઆસો $\qquad$………. બિગરી $\qquad$……….
આવે $\qquad$………. સહાય $\qquad$……….
ઊબરૈ $\qquad$………. બિનુ $\qquad$……….
બિથા $\qquad$………. અઠિલૈહૈં $\qquad$……….
પરિજાય $\qquad$……….
યોગ્યતા-વિસ્તાર
1. ‘સુઈની જગ્યાએ તલવાર કામ નથી આવતી’ તથા ‘બિન પાણી સબ સૂન’ આ વિષયો પર વર્ગમાં ચર્ચા યોજો.
2. ‘ચિત્રકૂટ’ કયા રાજ્યમાં આવેલું છે, તેની માહિતી મેળવો.
પ્રોજેક્ટ કાર્ય
નીતિ સંબંધી અન્ય કવિઓના દોહા/કવિતા એકત્ર કરો અને તે દોહા/કવિતાઓને ચાર્ટ પર લખીને ભિત્તિ પત્રિકા પર ચોડો.
શબ્દાર્થ અને ટિપ્પણીઓ
| ચટકાય | - | ચટકાવીને |
|---|---|---|
| બિથા | - | વ્યથા, દુઃખ, વેદના |
| ગોય | - | છુપાવીને |
| અઠિલૈહૈં | - | ઇઠલાવું, મજાક ઉડાવવી |
| સીંચિબો | - | સિંચાઈ કરવી, છોડમાં પાણી આપવું |
| અઘાય | - | તૃપ્ત |
| અરથ (અર્થ) | - | અર્થ, આશય |
| થોરે | - | થોડું, ઓછું |
| પંક | - | કીચડ |
| ઉદધિ | - | સાગર |
| નાદ | - | ધ્વનિ |
| રીઝિ | - | મોહિત થઈને |
| બિગરી | - | બગડી ગયેલી |
| ફાટે દૂધ | - | ફાટેલું દૂધ |
| મથે | - | બિલોઈ નાખવું, મથવું |
| આવે | - | આવવું |
| નિજ | - | પોતાનું |
| બિપતિ | - | મુસીબત, સંકટ |
| પિઆસો | - | તરસ્યો |
| ચિત્રકૂટ | - | વનવાસ દરમિયાન શ્રી રામચંદ્રજી સીતા અને લક્ષ્મણ સાથે થોડો સમય ચિત્રકૂટમાં રહ્યા હતા |